Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેર પેટ્રોલપંપ સંચાલકને ધુંબો:ઉધારીમાં ડિઝલ લઈ બે ભેજાબાજોએ ૧૨.૯૧ લાખનુ બૂચ માર્યુ

વાંકાનેર પેટ્રોલપંપ સંચાલકને ધુંબો:ઉધારીમાં ડિઝલ લઈ બે ભેજાબાજોએ ૧૨.૯૧ લાખનુ બૂચ માર્યુ

વાંકાનેરના ઠીકરીયાળા વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ભારત પેટ્રોલપંપમાં બે ભેજાબાજો બંધ થઇ ગયેલ કંપનીનના જુના લેટર પેડ તથા કોરા ચેક રજૂ કરી દસ દિવસની ઉધારીમાં રૂ.૧૨.૯૧ લાખથી વધુનું ડીઝલ લઈ જઈ પૈસા નહિ ચુકવતા બંને વિરુધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે બે શખસો વિરુધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ માલવીયાનગર-રર ખાતે રહેતા માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા વાંકાનેરના ઠીકરીયાળા વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભારત પેટ્રોલપંપ નામનું પમ્પ ચલાવે છે. જેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મનીશ શર્મા અને રાજ ઠાકુર નામના બે આરોપીઓ રાઇ બીલ્ડર્સ નામની બંધ થઇ ગયેલ કંપનીના જુના લેટર પેડ તથા કોરા ચેક ફરિયાદીના પેટ્રોલપંપે રજૂ કરી દસ દિવસની ઉધારીમાં ૧૪,૦૧૦ લીટર ડીઝલ કે જેની કિંમત રૂ.૧૨,૯૧,૩૦૧/-નું ડિજલ ખરીદ કરી પેટ્રોલપંપે રૂપીયા નહી ચુકવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!