Thursday, March 28, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે ઓકિસજનનાં બાટલાનું વિતરણ શરૂ કરાયું

મોરબી નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે ઓકિસજનનાં બાટલાનું વિતરણ શરૂ કરાયું

મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ઓકિસજનની પણ અછત જોવા મળે છે તેવા સમયે મોરબી નગરપાલિકા દ્વારા ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં મોરબી નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે ઓક્સિજનનાં બાટલાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં નાતજાતના ભેદભાવ વગર જરૂરીયાતમંદ દર્દીઓને ૨૫૦૦ રૂ. ડિપોઝીટ લઈ ને ઓક્સિજનનો બાટલો આપવામાં આવે છે બાદ જ્યારે પણ આ બાટલો પરત કરવામાં આવે ત્યારે તે ડિપોઝીટ તેમને પરત કરી દેવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ ઓક્સિજનનાં બાટલા વિતરણનું સંચાલન કરતા ભટ્ટભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં ૧૦૦ જેટલાં બાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ૨૫૦૦ રૂ. ડિપોઝીટ પેટે લઈ આ બાટલા આપવામાં આવે છે જ્યારે પણ બાટલો પરત કરવામાં આવે ત્યારે આ ડિપોઝીટ તેમને પરત આપી દેવામાં આવે છે. અહિં થી ઘણી સંસ્થાઓ પણ પોતાના આઈસોલેશન સેન્ટર માટે બાટલા લઈ ગઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!