Tuesday, May 7, 2024
HomeGujaratટંકારાનાં ધ્રુવનગર નજીક ઇકો કાર બની અગનગોળો: સદનસીબે જાનહાની ટળી 

ટંકારાનાં ધ્રુવનગર નજીક ઇકો કાર બની અગનગોળો: સદનસીબે જાનહાની ટળી 

ટંકારા તાલુકાના ધ્રુવનગર નજીક રાજકોટ મોરબી રોડ પર ઇકો કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આગને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના ધ્રુવનગર નજીક રાજકોટ મોરબી રોડ પર એક ઈકો કાર ભડભડ સળગી ઉઠી હતી. જેના કારણે થોડી વાર માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. તેમજ ટંકારા મામલતદાર કેતન સખિયા સહિતના અધિકારીઓએ ધટના અંગે જાણકારી મેળવી તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!