Monday, April 29, 2024
HomeGujaratમોરબી-રાજકોટ શહેર તથા જામનગરના આઠ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો : બે...

મોરબી-રાજકોટ શહેર તથા જામનગરના આઠ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો : બે આરોપીઓની ધરપકડ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પીઆઈ એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તથા રાજકોટ શહેર તથા જામનગરથી ચોરી થયેલ કુલ -૮ મોટરસાયકલના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો પાસેથી કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચર તથા સિધ્ધરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે સાગરભાઈ જાગાભાઈ ગોલતર તથા કુંવરો ઉર્ફે કુરીભાઈ પશુભાઈ જખાણીયા નામના બંને આરોપીઓ રાજપર ચોકડી ખાતેથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.અને આરોપીની વધુ પુછપરછ કરતા અન્ય ચોરી કરેલ-૭ મોટર સાયકલની કબુલાત આપતા સાત મોટર સાયકલ રીકવર કરવામા આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!