Saturday, July 27, 2024
HomeGujaratહાર્ટ એટેક આવતા મોરબીના જોધપર નદિ ગામના વૃદ્ધનું મોત : ગઈકાલે બે...

હાર્ટ એટેક આવતા મોરબીના જોધપર નદિ ગામના વૃદ્ધનું મોત : ગઈકાલે બે લોકોના અકાળે મોત નિપજ્યા

મોરબીમાં ગઈકાલે વધુ ત્રણ લોકોના અકાળે મોત નિપજ્યા હતા. જેમા મોરબીના યુવકનું ગળેફાંસો ખાતા તો જોધપર નદિ ગામે રહેતા વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. જયારે માળીયા મીં.માંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા અકાળે મોતની નોંધ કરાઇ છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી કાંતીનગર ચાંબુડા કિરાણા સ્ટોરની બાજુમા રહેતા રાજુભાઇ જગાભાઇ બાબરીયા નામના યુવકે ગઈકાલે પોતાના રહેણાક મકાને ગળા ફાંસો ખાઇ જતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

બીજા બનાવમાં, મોરબીના જોધપર નદી ગામે રહેતા ધનજીભાઈ પથુભાઈ દંતેસરીયા નામના વૃદ્ધ ગત રાત્રીના સમયે પોતાના ઘરે હતા. ત્યારે તેઓને અચાનક છાતીમા દુખાવો થતા તેઓને તાત્કાલિક ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને જોઈ તપાસી મરણ ગયેલનુ જાહેર કરેલ હતું અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ત્રીજા બનાવમાં, માળીયા મીં.માં એક અજાણ્યા પરુષની લાશ મળી આવતા માળીયા મી. પોલીસે લાશને કબ્જે કરી મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓનું પીએમ કરી સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી. તેમજ માળીયા મી. પોલીસે લાશની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!