Friday, April 26, 2024
HomeGujaratઆવતીકાલથી રાજ્યના ખેડુતોને મળશે વધુ બે કલાક વીજળી

આવતીકાલથી રાજ્યના ખેડુતોને મળશે વધુ બે કલાક વીજળી

હાલ વરસાદ ખેંચાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોનાં હિતમાં એક સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર આવતીકાલે બુધવાર તા.૭ જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને આવતીકાલે બુધવારથી ૮ કલાકને બદલે ૧૦ કલાક વીજળી મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!