Friday, May 10, 2024
HomeGujaratહળવદના એંજાર ગામના ખેડૂતોનો પીજીવીસીલ કચેરીમાં હલ્લાબોલ:નાયબ ઈજનેર દ્વારા ગાળો આપ્યાનો સનસનીખેજ...

હળવદના એંજાર ગામના ખેડૂતોનો પીજીવીસીલ કચેરીમાં હલ્લાબોલ:નાયબ ઈજનેર દ્વારા ગાળો આપ્યાનો સનસનીખેજ આક્ષેપ

હળવદના માં ગંગેશ્વર ફીડરમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજ ની સમસ્યા હોવાથી આ ફીડર સાથે જોડાયેલા હળવદ તાલુકાના એંજાર ગામના ખેડૂતોને અવાર નવાર વિજકાપની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બાબતે અનેકવાર શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા છતાં પીજીવીસીલ દ્વારા સમસ્યાનું નિવારણ કરવામાં ન આવતા અંતે ખેડૂતો દ્વારા પીજીવીસીલ ની કચેરી ખાતે પહોંચી ને સૂત્રોચ્ચાર કરી નાયબ ઇજનેરને રજુઆત કરવામાં આવી હતી જેમાં પણ નાયબ ઈજનેર નિનામાં દ્વારા ખેડૂતોને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જે બાબતે નાયબ ઈજનેર એમ.એન.નિનામાં સાથે વાત કરતા તેઓએ સ્વીકાર્યુ હતું કે રજુઆત કરવા આવેલા ખેડૂતોએ તેમને અપશબ્દો કહ્યા હતાં એટલે તેઓએ સામે અપશબ્દો કહ્યા હતા અને ખેડૂતોની આ રજુઆત સાચી છે અને સાત દિવસમાં આ સમસ્યાનું નિવારણ કરવાનો વાયદો કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!