Thursday, May 9, 2024
HomeGujaratવાંકાનેરના દિઘલીયા ગામે સગીરાની હત્યા મામલે પિતા બાદ માતા-પુત્રીની ધરપકડ

વાંકાનેરના દિઘલીયા ગામે સગીરાની હત્યા મામલે પિતા બાદ માતા-પુત્રીની ધરપકડ

મોરબીના વાંકાનેરમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતા સગીર દીકરી તેની સાથે ફોન પર વાત કરતી હતી. આ કારણે માતા-પિતા અને મોટી દીકરીએ સાથે મળીને સગીરાની હત્યા કરી નાખી. જોકે સંબંધીના કારણે હત્યાનો સમગ્ર મામલો સામે આવી ગયો હતો. જેમાં પોલીસે પહેલા પિતાની ધરપકડ કરી હતી. જે બાદ હવે માતા-પુત્રીની પણ ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના દિઘલીયા ગામમાં રિંકલ ગોંડલિયા નામની સગીરાની તેના જ માતા-પિતા અને બહેને મળીને હત્યા કરી નાખી. સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા. પરિવારે દીકરીને પ્રેમી સાથે બોલવાની ના પાડી હતી. તેમ છતાં દીકરી ફોન પર અવારનવાર પ્રેમી સાથે વાત કરતી હતી. જેને કારણે મૃતકની આરોપી બહેનનો ઘર સંસાર જોખમમાં મુકાતો હોય તેમજ અન્ય પારિવારિક સમસ્યાઓ ઊભી થતી હોય જેથી મૃતકને પરિવારજનોએ પ્રેમ સબંધ મૂકી દેવા સમજાવી હતી છતાં પણ ન મુક્તા અંતે વ્હાલસોયી દીકરીની હત્યા નિપજાવી હતી. જે ગુન્હામાં અગાઉ હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે અન્ય આરોપી માતા અને બહેનની પણ ધરપકડ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!