Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના ઝૂલતા પુલ કેસમાં રજુ કરાયેલ ચાર્જશીટમાં જયસુખ પટેલના નામનો આખરે ઉમેરો

મોરબીના ઝૂલતા પુલ કેસમાં રજુ કરાયેલ ચાર્જશીટમાં જયસુખ પટેલના નામનો આખરે ઉમેરો

મોરબીમાં દુર્ઘટના મામલે ચાલતી તપાસની આજે તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જેમાં અગાઉ પકડાયેલ નવ અને જયસુખ પટેલ સહિત દસ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઝૂલતા પુલ કેસમાં મોરબી કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 1262 કરતા વધુ પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેને લઇ હાલ કોર્ટ પ્રોસિઝર ચાલુ છે. જેમાં અગાઉ પકડાયેલ નવ અને જયસુખ પટેલ સહિત દસ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આઈપિસિ 308,336,338 અને 114 મુજબ ગુનો નોંધાયો છે. જેને લઈ સ્પેશિયલ સરકારી વકીલ સંજય વોરાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી અને મોરબી કોર્ટમાં 675/23 નંબરથી ચાર્જશીટ દાખલ કરાઈ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલે આગોતરા જામીન અંગેની અરજી કરી છે. જે આગોતરા જામીન અરજીનો ૧ ફેબ્રુઆરીના રોજ નિર્ણય લેવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!