Saturday, July 27, 2024
HomeGujaratમોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમા અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમા અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથકમાં બે,માળીયા મિયાણા પોલીસ મથકમાં એક અને હળવદ પોલીસ મથકમાં એક મળી કુલ ચાર અપમૃત્યુના બનાવ નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેરના જીનપરા આશિયાના સોસાયટીમાં રહેતી હીનાબેન રાજુભાઈ ચારોલા નામની સગીરાએ ગઇકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના નવા વઘાસિયા ગામે રહેતા બહાદુરસિંહ ગાંડુભા ઝાલા (ઉ. વ.૭૦) નુ કોઈ અકળ કારણોસર મોત નિપજતા તેમનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે હાથ ધરી હતી.

જ્યારે ત્રીજા બનાવમાં માળીયા મીયાણાના નીરુબેન નગર ખાતે રહેતા હમીદાબેન સલેમાનભાઈ ત્રાયા એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર ના ૧૫ વર્ષ પેહલા છુંટાછેડા થઈ ગયેલ હોય જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ચોથા બનાવની વિગત મુજબ હળવદના રાતા ભેર ગામ નજીક પવનચકીની ઓરડીમાં રહેતા રામ નરેશ ચિરોજી લાલ નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!