Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તા. 28/12/2021 ના રોજ સતવારા સમાજની વાડી, વજેપર મેઈન રોડ, મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ તેમજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.

- Advertisement -
- Advertisement -

આ કેમ્પમાં આયુર્વેદ ચિકિત્સા લાભાર્થીઓ-226, હોમિયોપથી ચિકિત્સાના લાભાર્થીઓ-70, યોગ શિબિર લાભાર્થીઓ -105, અગ્નિકર્મ સારવાર લાભાર્થીઓ-15, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન લાભાર્થીઓ-300 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર્દીઓને આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવેલ હતી. કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, અલ્તાફભાઈ શેરસિયા, શ્રીબા જાડેજા, ડૉ. વિજયભાઈ નાંદરિયા, ડો.જે.પી.ઠાકર, ડો.એન.સી.સોલંકી સેવા આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!