Friday, April 26, 2024
HomeGujaratમોરબીના મકનસર પાસેના સ્વામી નારાયણ મંદીરમાંથી રૂ. 62 હજારના મુદ્દામાલની ચોરી થતાં...

મોરબીના મકનસર પાસેના સ્વામી નારાયણ મંદીરમાંથી રૂ. 62 હજારના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબીના મકનસર ગામે આવેલા સ્વામી નારાયણ મંદિરમાં ગતરાત્રે તસ્કરો ખાબકયા હતા અને તસ્કરો આ સ્વામી નારાયણ મંદિરમાંથી રૂ. 62 હજારના મુદ્દામાલની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકેથી ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા મકનસર ગામ પાસેના સ્વામી નારાયણ મંદિરને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો આ સ્વામી નારાયણ મંદિરની દાનપેટી તોડીને તેમાંથી રૂ. 7 હજાર રોકડા અને ભગવાનને ચડાવેલા 15થી 20 જેટલા ડાયમંડ ઇમિટેનશનના આભૂષણો કિંમત રૂ. 55 હજાર મળીને કુલ રૂ. 62 હજારની માલમતા ઉઠાવી ગયા હતા. આ બનાવ અંગે મંદિરમાં નોકરી કરતા સતીષભાઈ હરિલાલ જાકાસણીયાએ મકનસર ગામના સ્વામીનારાયણ મંદિરમાંથી અજાણ્યા શખ્સોએ ચોરી કરી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં હમણાં છેલ્લા થોડા સમયમાં ઠંડીનું જોર વધતા તસ્કરોએ પણ તકનો લાભ ઉઠાવ્યો છે ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે આ તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!