શરતોને આધીન વિધાનસભા સત્રમાં હાજર રહેવા માંગ્યા હતા ૧૫ દિવસના પેરોલ,
હાઇકોર્ટ દ્વારા ૦૭ દિવસના શરતોને આધીન પેરોલ મંજૂર કર્યા,
હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને ત્રણ દિવસ સુધી ગાંધીનગર ન છોડવા અને વિધાનસભામાં સત્રમાં ફરજ્યાત પણે હાજરી આપવા પણ શરત રાખી,
આ ઉપરાંત મીડિયા સાથે કોઈ પણ ચર્ચા કે ક્રિમિનલ એક્ટિવિટી ના કરવા તેમજ હાઈકોર્ટે જાહેર કરેલ કોઈ પણ શરતનો ભંગ ન કરવા કડક સૂચના આપી પેરોલ મંજૂર કર્યા,
ચૈતર વસાવાના પેરોલ ના મંજૂર કરવા સરકાર તરફે એજીપી દ્વારા દલીલ કરતા હાઈકોર્ટ દ્વારા પ્રશ્ન કરાયો હતો કે એક તરફ સરકાર દ્વારા વિધાનસભા સત્ર માં હાજર રહેવા ધારાસભ્યને આમંત્રણ પાઠવે છે બીજી બાજુ કોર્ટમાં વિરોધ કરે છે આવું કેમ ચાલે તેવી દલીલો વચ્ચે હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાના ૦૭ દિવસના પેરોલ જામીન મંજૂર કરાયા






