Friday, April 26, 2024
HomeGujaratહળવદના ચરાડવા ગામે કેનાલમાંથી અજાણ્યા પુરુષનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ સાંપડ્યો: મોરબી...

હળવદના ચરાડવા ગામે કેનાલમાંથી અજાણ્યા પુરુષનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ સાંપડ્યો: મોરબી એસપી ઘટનાસ્થળે દોડી ગયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલી કેનાલમાંથી અજાણ્યા પુરુષનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. સાથે મોરબી જિલ્લા પોલિસ વડા પણ સ્થળ પર જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

ચરાડવા ગામે આવેલી પાણીની કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો હતો. પોલીસ, તંત્ર દ્વારા મૃતદેહ બહાર કાઢી તેની તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહ પર અર્ધ સળગેલ અને શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતાં જેને પગલે ફોરેન્સિક ટિમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં મોરબી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો છે જ્યારે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ આરંભી અજાણ્યાં પુરુષની હત્યા કે આત્મહત્યાનું કારણ જાણવા માથામણ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!