Friday, April 26, 2024
HomeGujaratમાળિયા (મી)ના ચાંચાવદરડા ગામે શાક મહોત્સવની ઉજવણી કરાઇ

માળિયા (મી)ના ચાંચાવદરડા ગામે શાક મહોત્સવની ઉજવણી કરાઇ

માળિયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા શાક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાંચાવદરડા ગામે સ્વામીનારાયણ સંપ્રદાયના દાતાઓના સહકારથી તા.25ને શનિવારે શાકોત્સવનું આયોજન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

શાક મહોત્સવ નિમિત્તે ગત તા. 24ના રોજ મહાપુજા અને રાસમંડળ તેમજ તા. 25ના રોજ સંતોના સામૈયા, સત્સંગ સભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી શ્રીજીપ્રકાશદાસ, સ્વામી ભક્તિનંદનદાસ અને નકલંકધામના દામજી ભગતે ઉદબોધન કર્યું હતું. તેમજ સ્વામી વૃંદાવનદાસ, સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તોએ શાકોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!