Saturday, July 27, 2024
HomeGujaratઆવતીકાલે અડધા મોરબીમાં વીજ પુરવઠો ખોરવાશે; મેન્ટેનન્સ કામગીરીને ધ્યાને લઇ લેવાયો નિર્ણય.

આવતીકાલે અડધા મોરબીમાં વીજ પુરવઠો ખોરવાશે; મેન્ટેનન્સ કામગીરીને ધ્યાને લઇ લેવાયો નિર્ણય.

મોરબી શહેરની પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગ 1 વિસ્તારમાં આવતા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સુરક્ષાના કારણોસર વીજ કાપ મુકવાની જરૂર રહે છે, જેથી આ વિસ્તારના ફીડરમાં આવતીકાલે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશે.

- Advertisement -
- Advertisement -

પી.જી.વી.સી.એલ.નાં જણાવ્યા અનુસાર, આવતીકાલે તા. ૦૨.૦૪.૨૦૨૩ ના રવિવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ટેલીકોમ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧,૨,૩,ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાન ની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર,સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ પી.જી.વી.સી.એલ.નાં સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!