Thursday, April 25, 2024
HomeNewsHalvadહળવદના ધનાળાના પાટીયા પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત :...

હળવદના ધનાળાના પાટીયા પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત : બે ઇજાગ્રસ્ત

હળવદના ધનાળા ગામના પાટિયા પાસે આજે રાત્રીના આશરે 12 30 વાગ્યાની આસપાસ કચ્છમાં જતા ગઢવી પરિવારને ગોઝારા અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા4સારવાર માં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના 12 30 વાગ્યાની આસપાસ
ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે જેમાં આ પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબીયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે જેમાં રામભાઇ નારાયણભાઇ ગઢવી ઉ 35 .રહે.લયજા તાં.માંડવી જી.કચ્છ, ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ ઉ 27 ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસે મૃતકોના પરિવાર જનોનો સંપર્ક સાધવા અને તેઓની ઓળખ કરવા વધુ કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!