Tuesday, May 14, 2024
HomeGujaratહળવદ પંથકમાં આવેલ કમોસમી વરસાદના લીધે અગરિયાઓને ભારે નુકશાન

હળવદ પંથકમાં આવેલ કમોસમી વરસાદના લીધે અગરિયાઓને ભારે નુકશાન

- Advertisement -
- Advertisement -

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 26 નવેમ્બરની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આગાહીને પગલે હળવદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અગરિયાઓને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. હળવદનાં ટીકર રણમાં પાણી ભરાતા અગરિયાઓને હાલાકી ભોગવવી પડી રહી છે/ ટીકરના નાના રણમાં આવેલ મીઠાના અગરોમાં પાણી ભરાયાં છે. મીઠાના અગરોમાં કમોસમી વરસાદના લીધે પાણી ભરાતા સોલાર પેનલોમાં ભારે નુકશાન થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!