Thursday, April 25, 2024
HomeGujaratમુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય : કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓને...

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય : કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં, તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરોને આપ્યા આદેશ

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે,રાજયમા કોરોનાનું સંક્રમણ અટકે અને ઓછા લોકો સંક્રમિત થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરી રહ્યુ છે ત્યારે હાલ ચાલી રહેલા કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે પરત ગુજરાત આવે ત્યારે તેમને તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં સ્પષ્ટ પણે કહ્યું કે કુંભનાં મેળામા ગયેલા શ્રદ્ધાળુઓ જયારે ગુજરાત પરત ફરશે ત્યારે તે તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટીગ દરમિયાન કોઈ યાત્રિક સંક્રમિત હશે તો તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમા માં રાખી ને અલગ કરવામાં આવશે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા યાત્રિકો સુપર સ્પ્રેડર ન બને તેની પણ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી છે અને આ હેતુસર રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને આદેશ કરી દેવામાં આવ્યા છે કે તેમના જિલ્લાના આવા કોઈ વ્યક્તિ કે યાત્રી કુંભનાં મેળામાંથી પરત આવે ત્યારે જે તે ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જે નેગેટિવ હશે તેવા લોકોને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર સુનિશ્ચિત કરે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!