Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં માનસિક બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ શિવપાર્ક સોસાયટીમાં આવેલ શેરી નં.૩માં રહેતા મૂળ મોટા દહીંસરા ગામના વતની ૪૦ વર્ષીય ભરતસિંહ બટુકસિંહ જાડેજાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. ત્યારે સમગ્ર અપમૃત્યુના બના બાબતે પ્રાથમિક તપાસમાં મૃતક ભરતસિંહ જાડેજાને છેલ્લા બે મહીનાથી માનસીક બીમારી હોય જેને લઇ અલગ-અલગ દવખાને સારવારમાં દવા ચાલુ હોય, ત્યારે માનસીક બીમારીથી કંટાળી જઈ મૃતક ભારતસિંહે પોતાના ઘરે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મરણ થયું હતું. મૃત્યુના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!