Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ અરૂણોદય સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિએ અગાઉ અન્ય કોઈ પુરૂષ સાથે પ્રેમ સંબંધ હોવા બાબતે ઠપકો આપ્યાનું લાગી આવતા ઘરે ઘઉંમાં નાખવાની દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા હેતલબેન સંદિપભાઇ મહેશભાઇ રાઠોડ ઉવ.૩૬ ને પરપુરૂષ સાથે પ્રેમસંબધ હોય જેની જાણ હેતલબેનના પતિને થઇ જતા જે બાબતે અગાઉ ઠપકો આપેલ હોય જે કારણોસર હેતલબેનને મનમાં લાગી આવતા પોતે પોતાના ઘરે પોતાની જાતે ઘઉંમાં નાખવાની દવા ગટગટાવી જતા તેણીને ઝેરી અસર થતા હેતલબેનને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી હેતલબેનને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પરિણીતાના મોત અંગેની પ્રાથમિક તપાસમાં મૃતક હેતલબેનનો ૧૭ વર્ષનો લગ્નગાળો હોવાનું સામે આવ્યું છે. હાલ અકાળે મૃત્યુ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!