Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા મુંડન કરાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ...

મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા મુંડન કરાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

દિલ્લીના જંતર મંતર ખાતે આહિર અર્જુન આંબિલયા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ભારતીય સેનામાં જાતિઓના નામોથી આહિર રેંજીમેન્ટ બને તે માંગ સાથે 11 જાન્યુઆરીથી અનિશ્ચિત સમય ઘરણા પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે તેના ભાગ રૂપે મોરબીમાં તેમના સમર્થનમાં આહિર એકતા મંચ, ગુજરાત માલધારી સેના, એકતા એજ લક્ષ્ય સંગઠન, હિન્દુ યુવા વાહિની, નકલંક નેજાધારી ગૌ સેવા સમિતિ તથા અન્ય હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા મુંડન કરાવી ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે તેમજ આહિર રેજીમેન્ટ બને તે બાબતે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને જો સરકાર દ્વારા માંગ નહિ સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!