Monday, May 6, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં બે યુવાનોએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યુ

મોરબી જિલ્લામાં બે યુવાનોએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યુ

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુના વધુ બે બનાવો સામે આવ્યા છે જેમાં બે યુવાનોએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા ભરતભાઇ કાળુભાઇ પરમાર નમના ૨૨ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જે અંગે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતો આથી પોલીસને જાણ કરાતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ એક અપમૃત્યુના બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના રફાળીયા ગામેં આવેલ આંબેડકરનગર રહેતા અમીતભાઇ પરમારની ઓરડીમાં રહેતા પિયુષભાઇ કોમલસીંગ યાદવ નામના 18 વર્ષીય યુવાન ગત તા.૨૭/૦૨ ના રોજ સાંજના સાડા છ એક વાગ્યા પહેલા કોઇ પણ સમયે રહેણાંક ઓરડીના લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મઘાત કરી લીધો હતો જેમાં તેનું મોત નિપજતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!