Thursday, April 18, 2024
HomeGujaratમોરબીના જાંબુડિયા ગામે ગૃહ કંકાશનો લોહિયાળ અંત: પતિએ જ પત્નીને બેરહેમીથી કુહાડીના...

મોરબીના જાંબુડિયા ગામે ગૃહ કંકાશનો લોહિયાળ અંત: પતિએ જ પત્નીને બેરહેમીથી કુહાડીના ઘા ઝીંકી વેતરી નાખી

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે પતિ પત્ની વચ્ચે રોજ થતા કંકાશનો લોહિયાળ અંજામ આવ્યો છે જેમાં પત્નીની દરરોજની માથાકૂટથી કંટાળી પતિએ જ પત્નીને બેરહેમીથી કુહાડીના આડેધડ ઘા ઝીંકી વેતરી નાખી હતી. બનાવની જાણ તથા સ્થાનિક પોલિસ દોડી ગઈ હતી. આરોપી પોલીસ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે

- Advertisement -
- Advertisement -

લોહિયાળ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર મોરબી તાલુકાના જાંબુડિયા રહેતા એક પરિવારના હંસરાજભાઈ વીંજુવાડિયા (આશરે ઉ.વ.60) અને તેની પત્ની મંજુલા બેન હંસરાજભાઈ વીંજુવાડિયા (ઉ.વ.50) વચ્ચે અવારનવાર ગૃહ કંકાશ થતો હતો. ત્યારે આજે પણ કોઈ કારણ સર બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મંજુલા બેન હંસરાજભાઈ વીંજુવાડિયા પોતાના અન્ય ઘરે કપડાં ધોવા જતા હતા આ દરમિયાન આરોપી પતિએ કાયમી ઝગડાથી કંટાળી જઇ ખૂનન્સભેર તેની પત્ની મંજુલાબેન પર કુહાડી વડે હુમલો કરી ખચાખાચ ઘા ઝીંકી પત્નીની ઘટનાસ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ હત્યારો પતિ ભાગી છૂટતા આ બનાવની જાણ થતા સ્થનિક પોલિસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે આરોપી પોલિસ પકડથી નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!