Friday, March 29, 2024
HomeGujaratટંકારા તાલુકામાં ત્રણ ઉમેદવારોએ ફોર્મ રજુ કરી શ્રીગણેશ કર્યા.

ટંકારા તાલુકામાં ત્રણ ઉમેદવારોએ ફોર્મ રજુ કરી શ્રીગણેશ કર્યા.

આપ ના ત્રણ ઉમેદવારોએ નામાંકન રજુ કર્યુ આજે ઉમેદવારો નો રાફડો ફાટશે કાલે છેલ્લો દિવસ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જીલ્લા પંચાયત ચૂંટણીમા ઉમેદવારી નોંધાવવા માટે હવે માત્ર કાલ નો દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુરૂવારે ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીએ જીલ્લા પંચાયતની ત્રણ પૈકી બે બેઠકો પર અને તાલુકા પંચાયતની એક બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે, કોંગ્રેસ પક્ષ હજુ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી શક્યા નથી. ભાજપે મોડે મોડે નામ જાહેર કર્યા છે અને લોક સેવા કરવા ઈરછુક નુ નામ નહી આવતા નારાજગી પણ સામે આવી છે જે આજે અપક્ષ ઉમેદવાર તરીકે જોવા મળશે

આગામી તા. ૨૮ મીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણી અંતગઁત હાલ ઉમેદવારીપત્રો ભરવા માટે હવે માત્ર આજ અને કાલ એમ બે દિવસ જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે મામલતદાર કચેરી ખાતે થી 51 ફોમ ઉપડયા છે તો તાલુકા પંચાયત કચેરી થી 97 ફોમ અને જીલ્લા પંચાયતની ત્રણ બેઠક માટે 25 કોરા ફોમ ઉપડયા છે. પરંતુ દાવેદારી કરવા મા ઉતાવળ કરતા ફોમ ભરવા મા ભારે ઢિલાસ જોવા મળે છે ત્યારે આજે ગુરૂવારે સાંજ સુધીમાં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો એ ઉમેદવારીપત્રો રજુ કયાઁ હતા. જેમા, જીલ્લા પંચાયતની ટંકારા બેઠક પર મૂળ કોંગ્રેસી ગોત્રના અને શંકરસિંહ વાઘેલા સાથે નિકટતા ધરાવતા પંકજ ત્રિવેદી એ આમ આદમી પાર્ટી માથી આજે નામાંકન ભયુઁ હતુ. ઉપરાંત જીલ્લા પંચાયતની ઓટાળા બેઠક પરથી જોશનાબેન ચૌહાણે આમ આદમી પાર્ટી માથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તાલુકા પંચાયતની ટંકારા-૨ બેઠક પર આમ આદમી પક્ષના નિશાન પર ટંકારાના ધર્મેન્દ્ર કક્કડે ઉમેદવારી કરી હતી. આમ, ચુંટણી મા ઉમેદવારી કરવા માટે માત્ર બે દિવસ બચ્યા છે. ત્યારે આજે નાંમાકન માટે મેળાવડો જામે તો પણ નવાઈ નહીં અને પક્ષ ના નારાજ પણ અપક્ષ મા લડે તેવી શક્યતા શેવાઈ રહી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!