Wednesday, April 24, 2024
HomeGujaratમાળીયાના વાધરવા ગામેં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ શ્રમિક દંપતીએ જીવાદોરી ટૂંકાવ્યું

માળીયાના વાધરવા ગામેં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ શ્રમિક દંપતીએ જીવાદોરી ટૂંકાવ્યું

માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામેં ઝાડ સાથે શ્રમિક દંપતીએ ગળાફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતા સનસનાટી મચી જવા પામી છે. જે અંગે જાણ થતા સ્થાનિક પોલીસે દોડી જઇ આપઘાતનું કારણ જાણવા સહિતની દિશામાં કાર્યવાહી આદરી છે આ આપઘાતની કરુણાંતીકા એ છે કે મૃતક દંપતિના ચાર માર અગાઉ જ લગ્ન થતા હતા આ બનાવને લઈને પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર માળીયા મિયાણાના વાધરવા ગામની સિમમાંથી શ્રમિક દંપતીના વૃક્ષ સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. રાહુલભાઈ મહેતાબભાઈ ભીલ (ઉમર ૨૧) અને તેના પત્ની સુનિતાબેન રાહુલભાઈ ભીલ (ઉંમર ૨૦) બન્ને વાધરવા ગામેં પરિવાર સાથે રહી અને ખેતરમાં ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને બન્નેના ચાર માસ અગાઉ જ લગ્ન થયા હતા.આ દરમિયાન બને એ કોઇ કારણ સર ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું. જે અંગે મૃતક યુવકના પિતાએ માળીયા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. પોલીસે બન્નેના મૃતદેહનો કબજો સાંભળી પેનલ પીએમ અર્થે રાજકોટ ખસેડયા છે અને આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ ASP અતુલ બંસલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!