Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરમાં પરણિતાએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ મોતને વહાલું કર્યું

વાંકાનેરમાં પરણિતાએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ મોતને વહાલું કર્યું

મોરબી જિલ્લામાં યુવાનોમાં આપઘાતના કિસ્સાઓ એક બાદ એક વધી રહ્યા છે. જેના કારણે ઘણા પરિવારોએ કુળ દિપક તથા પોતાના ઘરની લક્ષમીને ગુમાવી છે. ત્યારે ગઈકાલે આવો જ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં વાંકાનેરની એક પરણિત યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મનમંદીર સોસાયટીમાં રહેતી અમુબેન દીલીપભાઇ લામકા નામની ૨૮ વર્ષીય પરણિત યુવતીએ ગઈકાલે બપોરના સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ લીધો હતો. જેની જાણ થતા જ મૃતક મહિલાના જેઠ ઘંનશ્યામભાઇ મોનાભાઇ લામકા દ્વારા તેને નીચે ઉતારી તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ મહિલાને પ્રાથમિ સારવાર મળે તે પહલાં જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ ફરજ પર હાજર ડોક્ટર નીરવ વ્યાસે તેમને તપાસી મૃત જાહેર કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!