Sunday, May 19, 2024
HomeGujaratમોરબી સહિત રાજ્યની નગરપાલિકાઓમાં પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત બે માસ લંબાવાઈ

મોરબી સહિત રાજ્યની નગરપાલિકાઓમાં પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત બે માસ લંબાવાઈ

મોરબી સહિત રાજ્યભરની નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકાય છે જેનો 31માર્ચ છેલો દિવસ હતો ત્યારે આ યોજના બે મહિના સુધી લંબાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોઇ નગરપાલિકાની પાછલી બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી હોવાથી કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે , પ્રોત્સાહન મળે તેમજ નગરપાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે ” આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના ” અમલમાં મુકાય હતી.જેમાં નગરપાલિકાઓમાં મિલકત પેટેના જુના માંગણા ભરપાઈ કરવા માટે વેરાની બાકી રકમ તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ સુધીમાં ભરપાઇ કરે તો નોટીસ ફ્રી / વ્યાજ / પેનલ્ટી / વોરંટ ફી પેટેની ૧૦૦ ટકા રકમ માફ કરવામાં આવી હતી. જેના આવકારને ધ્યાને લઇ આઝાદી કા અમૃત મહોત્સવમા પ્રોત્સાહક વળતર યોજના ” ની મુદતમાં વધુ બે માસ એટલે કે તા .૩૧ / ૦૫ / ૨૦૨૨ સુધીનો વધારો કરવાની મંજુરી આપવામાં આવેલ છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!