Saturday, July 27, 2024
HomeGujaratજય અંબે સેવા ગ્રુપ દ્વારા "બિપરજોય" વાવાઝોડાને પગલે રાહત રસોડું ચાલુ કરાયું

જય અંબે સેવા ગ્રુપ દ્વારા “બિપરજોય” વાવાઝોડાને પગલે રાહત રસોડું ચાલુ કરાયું

ગુજરાતના દરિયાકાંઠે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાય એ પહેલાં મોરબીથી લઈને સમગ્ર ગુજરાતની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સંભવિત અસરગ્રસ્તો માટે લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ બનાવીને તૈયાર રાખ્યાં છે. આમ, વાવાઝોડામાં મદદ માટે હાકલ પડે એ પહેલાં ગુજરાતીઓ મદદ માટે હાજર થઈ ગયા છે. ત્યારે મોરબીના જય અંબે સેવા ગ્રુપ દ્વારા પણ રાહત રસોડું ચાલુ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જય અંબે સેવા ગ્રુપના જણાવ્યા અનુસાર, હર વખતની જેમ જયારે જયારે મોરબી પર કોઈ આફત કે સંકટ આવ્યું હોઈ ત્યારે જય અંબે સેવા ગ્રુપ લોકોની મદદે આવ્યું છે. જેમ કે કોરોના વખતે લોકડાઉન હોય કે બીજી લહેરમાં કોરોના કેર સેન્ટર (આઇસોલેટ સેન્ટર )માળીયા પૂરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ એવી જ રીતે આ વખતે પણ “બિપરજોય” વાવાઝોડાનો સંકટ મોરબી પર છે. તો તાત્કાલિકના ધોરણે જય અંબે સેવા ગ્રુપ દ્વારા ઉત્તમ કેટરર્સ ગોડાઉન, નાઈટ લાઈફ કાફેની સામે, શનાળા ખાતે રસોડું ચાલુ કરી અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જરૂર જણાયે લોકોને જય અંબે સેવા ગ્રુપ, જીજ્ઞેશભાઈ કૈલા નં – 9898322200, 9925668931, 8980050850 નો સંપર્ક કરવા પણ લોકોને જણાવવામાં આવ્યું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!