Monday, April 29, 2024
HomeGujaratવાંકાનેરના પલાસડી ગામે જમીન પચાવી પાડી વાવેતર કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ...

વાંકાનેરના પલાસડી ગામે જમીન પચાવી પાડી વાવેતર કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરનાં પલાસડી ગામમાં રહેતા ધરમશીભાઇ કાનાભાઇ પીપળીયાએ ફરિયાદી જશુબેન દેવજીભાઇ ટીડાણીની માલીકીની પલાસડી ગામના સર્વે નં.૧૦૨/૩ પૈકી ૧ વાળી ૧ એકર ૧૨ ગુંઠા જેના ૦ હેકટર ૫૨ આરે ૬૧ ચો.મી.ની જમીન પચાવી પાડવાના આશયથી તા.૧૧/૧૧/૨૦૦૩ના દસ્તાવેજ કર્યા બાદથી આજ દિન સુધી પોતાનો અનઅધિકૃત કબ્જો કર્યો હતો. અને તે જમીન પર વાવેતર કરી જમીનનો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં પોલીસે ફરિયાદી જશુબેનની ફરિયાદનાં આધારે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ મુજબ ધરમશીભાઇ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!