Sunday, May 12, 2024
HomeGujaratલુણસર ગામે સામાન્ય બાબતે ઝગડો કરી લોખંડ ના પાઈપ વડે હૂમલો કર્યો:છ...

લુણસર ગામે સામાન્ય બાબતે ઝગડો કરી લોખંડ ના પાઈપ વડે હૂમલો કર્યો:છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર ના લૂંણસર ગામે રહેતા કાંતિલાલ ચાવડા સાથે ગત તા.15 ના રોજ છગન કરશન ચાવડા અને પ્રેમીબેન છગન ચાવડા એ તાવા ના ચૂલા બાબતે ઝગડો કરી ને ભૂંડાબોલી ગાળો આપી હતી જેથી ભોગ બનનાર ના પુત્ર અશ્વિનભાઈ એ સમાધાન માટે આરોપીઓ અને તેઓના સગા ને સમાધાન માટે બોલાવ્યા હતા પરંતુ આરોપીઓ એ સમાધાન ન કરીને ફરીથી કાંતિભાઈ ચાવડા ને ગાળો આપી ને આરોપીઓ એ એકસંપ કરી ને લોખંડ ના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .

- Advertisement -
- Advertisement -

જેથી ભોગ બનનાર કાંતિલાલ ના પુત્ર અશ્વિનભાઈ દ્વારા આરોપીઓ છગન કરશન ચાવડા,પ્રેમીબેન છગન ચાવડા,ભરત જીવા ચાવડા,નિલેશ જીવા ચાવડા,જીવાભાઈ હરિભાઈ ચાવડા, અને ભાનુબેન જીવાભાઈ ચાવડા એમ કુલ છ લોકો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર તાલુકા પોલીસ એ અશ્વિનભાઈ ની ફરીયાદ નોંધી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!