Friday, May 3, 2024
HomeGujaratમોરબીની મચ્છુ નદીમાં ગમે ત્યારે પાણી છોડવામાં આવશે મચ્છુ-૨ ડેમ ૭૦ %...

મોરબીની મચ્છુ નદીમાં ગમે ત્યારે પાણી છોડવામાં આવશે મચ્છુ-૨ ડેમ ૭૦ % ભરાયો:બંગાવડી ડેમ ઓવરફ્લો

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છુટ્ટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જેને પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તેમજ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ- ૨ ડેમ પણ ૭૦% ભરાયો છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ સિંચાઈ વર્તુળનાં કોફલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર દ્વારા જાહેર કરાયેલ સૂચિ મુજબ, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ બંગાવડી ડેમ 0.03 ફુટ ઓવરફ્લો થયો છે. જેને લઈ ડેમની હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાનાં બંગાવડી તેમજ જોડિયા તાલુકાના ટીંબડી અને રસનાળા ગામનાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ડેમમાં હાલ 56 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે 56 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે બીજી તરફ જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 %ભરાઈ ગયો છે. જેથી જો હજુ ડેમમાં પાણીની આવક વધશે તો ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. જેથી ડેમની નીચાણમાં આવતા કુલ 32 જેટલા ગામોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લિલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર, બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જૂના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળીયા-મીંયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર એમ 32 ગામોને એલર્ટ કરાયા છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળનાં ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર દ્વારા જાહેર કરાયેલ સૂચિમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!