Saturday, May 4, 2024
HomeGujaratમાળીયા(મી) પિયરે રોકાવવા આવેલ પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

માળીયા(મી) પિયરે રોકાવવા આવેલ પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

માળીયા(મી) પિયર ધરાવતી પરિણીતા ધ્રાંગધ્રા સાસરે હોય જે ત્રણ દિવસથી પોતાના માવતરના ઘરે હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરુ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર મૂળ ધ્રાંગધ્રા સાસરું ધરાવતી મુમતાઝ બેન અસલમભાઇ હબીબભાઇ મોવર ઉવ.૩૧ તેના પિયર માળીયા(મી)ના નવા રેલ્વે સ્ટેશન પાસે પીતા ઇસ્માઇલભાઇ હાસમભાઇ કટીયાના મકાને બે ત્રણ દીવસથી તેના માવતરના ઘરે આવેલ હોઇ અને માવતરના ઘરે કોઇપણ કારણોસર પોતાની મેળે ગળેફાસો ખાઇ લેતા માળીયા(મી) સરકારી દવાખાને સારવારમા સગા સંબધી લઇ આવતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી મરણ ગયેલનું જાહેર કર્યું હતું. મૃતક મુમતાઝબેનના ૧૦ માસ પૂર્વે લગ્ન થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે સમગ્ર બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!