મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો ચાલી રહ્યા હોવાથી રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર તેમજ જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ તા.૭ જૂનથી ૧૪ જૂન સુધી બંધ રહેશે. ઉપરાંત શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસેના વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. જેથી મનપા દ્વારા વૈકલ્પિક રુટનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. મુખ્ય માર્ગો પર કામગીરી થવાને કારણે રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ તા.૦૭/૦૬/૨૦૨૬ થી ૧૪/૦૬/૨૦૨૬ સુધી આઠ દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તેમજ શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલા વોકળા સુધીનો માર્ગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. જેથી મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.






