Friday, March 29, 2024
HomeGujaratમોરબી થી પિયર જવાનું કહી પરિણીતા ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી થી પિયર જવાનું કહી પરિણીતા ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ

બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બહાદુરગઢ ગામે રહેતા સુરેશભાઇ તુલશીદાસ અગ્રાવત (ઉ.વ.૩૮) ના પત્ની કિર્તી ઉર્ફે કિરણબેન (ઉ.વ.૨૮) પુત્ર દેવ (ઉ.વ.૨) સાથે ગત તા. ૧૫ નવેમ્બરના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડમાં મોરબીથી ધ્રોલ તેના માવતરે જવા માટે નીકળ્યા હતાં. જેમાં તેના પતિએ એસ.ટી. ઇન્ટરસીટીમાં બન્નેને બેસાડેયા હતા. પરંતુ આ માતા-પુત્ર ધ્રોલ નહીં પહોંચતા હોવાનું માલુમ પડતા તેમના પરિવારજનોએ જાતે તપાસ કરી હતી, પરંતુ આ બન્ને માતા-પુત્રનો આજદિન સુધી પત્તો ન લગતા અંતે આજે તેમના પતિ સુરેશભાઈએ મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકમાં બન્નેની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને માતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!