Friday, March 29, 2024
HomeGujaratરસ્તા અને પુલના કામો માટે મુખ્યમંત્રી , નાયબમુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત કરતા...

રસ્તા અને પુલના કામો માટે મુખ્યમંત્રી , નાયબમુખ્યમંત્રી ને રૂબરૂ રજૂઆત કરતા ધારાસભ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન

મોરબી જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ અજયભાઇ લોરિયા જુદા જુદા રસ્તા ના કામો અન્વયે મોરબી ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ને સાથે રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને મળ્યા હતા, ગાળા – સાપર રોડ પર નું નાળુ રૂપિયા 3 કરોડ ના ખર્ચે પહોળું કરવા, વાઘપર બ્રીજ ના કામમાં વધુ નાલા મુકવા રજુઆત કરી, મોરબી સિરામિક અસોશિયેશન ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ગાળા ના યુવા ઉઘોઁગપતિ સતિષભાઈ બોપલીયા સાથે ઉપસ્થિત હતા, આ કામ તુરત માં હાથ ધરાશે, તેમજ નર્મદા ની કેનોલો માંથી મોરબી -માળીયા ના ગામો ના ખેડૂતો ના પાક વરસાદ ખેંચાતા બચાવી લેવા પાણી સમયસર પૂરતું ઉપલબ્ધ કરવા કરેલ રજુઆત નો પણ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો, અજયભાઇ લોરિયા ની શહીદો ના પરિવાર ને આર્થિક સહાય અને કોરોના માં કરેલ સેવા થી બ્રિજેશભાઈ એ નાયબ મુખ્ય મંત્રી અને મુખ્યમંત્રી ને વાકેફ કરતા અજયભાઇ ને બંને મહાનુભાવો એ ધન્યવાદ સાથે આશીર્વાદ આપ્યા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!