Sunday, May 5, 2024
HomeGujaratમોરબી : સરતાનપર રોડ ઉપર ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત, ફરિયાદ...

મોરબી : સરતાનપર રોડ ઉપર ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પહલવાનસીગં નંદરામભાઇ કુર્મી (ઉ.વ. ૪૨, ધંધો મજુરી, રહે.બૈરી, તા. ખુરાઇ જી. સાગર, હાલ રહે. મુસાખેડી મયુરનગર શેરી નં. ૧૯ ઇન્દોર મધ્યપ્રદેશ) એ આરોપી ટ્રેઈલર નં. આરજે-૧૪-ડીસી-૦૪૧૩નાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૫ના રોજ સરતાનપર રોડ મોટો સીરામીકની સામે મકનસર નજીક ફરીયાદીના દીકરા સર્વેશકુમાર મોટર સાયકલ નં. જીજે-૩૬-કે-૦૨૭૨ ચલાવીને જતો હોય તે દરમ્યાન આરોપી ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના દીકરાના મોટરસાયકલ સાથે ભટકાડી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરીયાદીના દીકરા સર્વેશકુમારને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનુંવમોત નીપજ્યું હતું જ્યારે ટેઇલરચાલક અકસ્માત સર્જી પોતાનું ટેઇલર સ્થળ પર મુકી નાસી છૂટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!