Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : મજૂરી કરવા આવેલા શ્રમિકને કામ ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મજૂરી કરવા આવેલા શ્રમિકને કામ ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત

વતન મધ્યપ્રદેશમાં દેણું વધી જતાં મોરબી કામ મેળવવા આવ્યા બાદ અંતિમ પગલું ભરી લીધું

- Advertisement -
- Advertisement -

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના દેવાંસ જિલ્લાના છતરપુરા ગામનો વતની અને હાલ સાપર ગામની સીમમાં રોસિલેન્ડ મિનરલ કારખાનાના લેબર કવાટર્સમાં પરિચિતને ત્યાં આવેલા દિનેશભાઇ મોહનભાઇ બામણીયા નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે કૈલાસભાઇ રેવારામ મેવાડાએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક દિનેશભાઇ મોહનભાઇ બામણીયાને પોતાના વતનમાં દેણુ વધી ગયેલ જેથી મોરબી ખાતે મજુરી કામ અર્થે આવેલ હોય મજુરી કામ નહીં મળતા લાગી આવતા પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે પોલીસે એડી નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!