Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : રવાપર રોડ પર ત્રણ અસ્થિર મગજના સંતાનોથી કંટાળી માતાએ જાત...

મોરબી : રવાપર રોડ પર ત્રણ અસ્થિર મગજના સંતાનોથી કંટાળી માતાએ જાત જલાવી મોત વ્હાલું કર્યુ

બનાવની એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રવાપર રોડ પરની સોસાયટીમાં રહેતા હંસરાજભાઇ ઠાકરશીભાઇ ભીમાણીના પત્ની કંચનબહેન (ઉ.વ. ૫૫)એ ગઈકાલે તા. ૭ના રોજ કેરોસીન છાંટી જાતને સળગાવી હતી. આથી, સખત રીતે આખા શરીરે દાઝી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક કંચનબહેનના સંતાનમાં ત્રણેય સંતાનો
બાળપણથી જ મંદબુધ્ધીના છે. તેઓ ત્રણેય અસ્થિર મગજના સંતાનોની દેખભાળ અને સારસંભાળ કરીને થાકી-કંટાળી ગયા હતા. આથી, તેમણે આ અંતિમ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!