મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં કામ કરતા ૨૯ વર્ષીય નર્સિંગ સ્ટાફના યુવકે અજાણ્યા કારણોસર કોઈ પ્રવાહી પી લીધા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો અનુસાર, મૂળ ભાવનગર જીલ્લાના દિહોર ગામના અને હાલ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કાર્યરત અરવિંદભાઈ નરણભાઈ ઘોયલ ઉવ.૨૯ એ ગત તા.૪ એપ્રિલની રાત્રે ફરજ દરમિયાન કોઈ અજાણ્યું પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ તેમને ક્રિષ્ના હોસ્પિટલમાં જ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં તા.૨૦ એપ્રિલે બપોરે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









