Friday, April 26, 2024
HomeGujaratમોરબી : ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

મોરબી : ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કરશનભાઇ નાનજીભાઇ ઘોડેસરા (ઉ.વ.૬૭, રહે.તાલાલા માધોપાર્ક સો.સા. જી.ગીરસોમનાથ વેરાવળ) વાળા ગત તા. ૨/૪ નાં રોજ પોતાના દિકરા દિવ્યેશ કરશનભાઇ (રહે.મોરબી સરદારબાગ સામે ભક્તિનગર-૧) વાળાના ઘરે ૭ વાગ્યે બાથરૂમ જતી વખતે ચક્કર આવતા પડી જતા તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યાર બાદ રીફર કરતાં સરકારી હોસ્પિટલ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાથી સરકારી હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા. ૫/૪ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. બનાવ બન્યા બાબતના કાગળો ટપાલ મારફતે આવતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ પો.હેડ.કોન્સ. એચ.યુ.ગોહીલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!