Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી: કડીયા કામ કરતી વખતે લાકડાના માળા પરથી પડી જતા આધેડનું મોત

મોરબી: કડીયા કામ કરતી વખતે લાકડાના માળા પરથી પડી જતા આધેડનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમાં રહેતા કેશવજીભાઇ મીઠાભાઇ નકુમ(ઉ.વ.૫૩) ગઈકાલે તા. ૭ના રોજ વીશીપરામાં કડિયાકામ કરતા હતા તે દરમ્યાન લાકડા બાંધેલ માળા પરથી પડી જતા ઇજા પહોંચી હતી. આથી, તેની સાથેના દાઉદભાઇ જુસબભાઇ સુમરા (રહે. મોરબી) તેમને મોરબીમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરએ કેશવભાઈને મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરતા દાઉદભાઇ કેશવભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!