Friday, March 29, 2024
HomeGujaratમોરબી : જીલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

મોરબી : જીલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

આજરોજ મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા કક્ષાનો વ્યાજ વટાવને લગતા પ્રશ્નો બાબતે મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો, જે લોક દરબારમાં ડીવાયએસપી રાધીકા ભારાઇ, એસ.સી.એસ.ટી. સેલના હર્ષ ઉપાધ્યાય તેમજ મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, તેમજ ૩૦ જેટલા નાગરીકો ઉપસ્થિત રહ્યા હતાં, જેમાં ૩ એ.ડીવી.પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ૩ બી.ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારની એમ કુલ ૦૬ અરજીઓ મળેલ, જે અરજીઓ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આવા વ્યાજવટાવ હેઠળ કોઇપણ અરજદાર ફસાયેલ હોય તો, તેઓએ સબંધીત અને લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને તેમજ મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલરૂમના મોબાઇલ નંબર ૭૪૩૩૯૭૫૯૪૩ તેમજ ડીવાયએસપી તથા એસપી મોરબી જીલ્લાને કોઇપણ જાતના ડર સંકોચ વિના રૂબરૂ રજુઆત કરી શકાશે. જેની તમામ જાહેર જનતાને જાણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!