મોરબી તાલુકાના રાજપર ગામમાં આરવ પોલી પેકના લેબર રૂમમાંથી ૧૯ વર્ષીય યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના રાજપર ગામે નસીતપર રોડ પર રહેતા સંજયભાઈ સંતોષભાઈ વર્મા ઉવ.૧૯ એ આરવ પોલી પેકના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ. મોતની નોંધ દાખલ કરી આગળની તજવીજ શરૂ કરી છે.






