Friday, April 26, 2024
HomeGujaratમોરબી પરશુરામ દાદાની જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબાનું આયોજન કરાયું

મોરબી પરશુરામ દાદાની જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબાનું આયોજન કરાયું

મોરબી પરશુરામ દાદાની જન્મજ્યંતી પૂર્વે રાસ ગરબાનું આયોજન કરાયું : કેક કટીંગ કરી કરાઈ દાદાના જન્મદિનની ઉજવણી

- Advertisement -
- Advertisement -

મોરબી માં આવતીકાલે બ્રહ્મણોના ઇષ્ટદેવ શ્રી પરશુરામ દાદાની અખાત્રીજના દીને જન્મજયંતિ ધામ ધૂમથી કેક કાપી ઉજવનાર છે ત્યારે ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના તમામ આગેવાનોની હાજરીમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતાઅને રાત્રીના બાર વાગ્યે કેક કાપી અને ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ ઉજવણી કરી હતી લ આ તકે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજ ભટ્ટ,પરશુરામ ધામના સંચાલક ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ મહેતા, નલીનભાઈ ભટ્ટ, જગદીશભાઈ ઓઝા સહીત સમસ્ત બ્રહ્મસમાજ પાંખના કિશોરભાઈ શુક્લ,કેયુરભાઈ પંડ્યા,અમૂલભાઈ જોશી સહિતના મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ અને પત્રકાર એશોસીએશનના પ્રમુખ અતુલભાઈ જોશી,ભાસ્કરભાઈ જોશી,ઋષિભાઈ મહેતા,સુરેશભાઈ ગૌસ્વામી હાજર રહ્યા હતાં આ સાથે આવતીકાલે યોજાનાર ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ ભાવભેર યોજાય એ માટે શોભાયાત્રા માં અને દ્વારે યજ્ઞ યોજાશે જેમાં પરશુરામ દાદાની ધ્વજા રોહણ કરવામાં આવશે જેમાં તમામ બ્રહ્મબંધુને વધુમાં વધુ હાજર રહેવા તેમજ મોરબી મિરર ફેસબુક પેજ પર આ શોભાયાત્રા લાઈવ નિહાળવા હાજર બ્રહ્મ બંધુઓને આહવાન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!