Saturday, July 27, 2024
HomeGujaratમોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જાહેર હિસાબ સમિતિમાં સ્થાન મળ્યું

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જાહેર હિસાબ સમિતિમાં સ્થાન મળ્યું

ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની રચના કરી દેવાઈ છે. જેમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જિતુ વાઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ઈતિહાસમાં પ્રથમ વખત જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ કોંગ્રેસ પાસેથી છીનવાયું છે. જોકે, જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસના સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ કરાયો છે. તેમજ AAPના MLA હેમંત આહીરને પણ સ્થાન મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

બીજી બાજુ, અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસો માટેની સમિતિ અને પંચાયતીરાજ સમિતિના પરિણામો જાહેર કરાયા છે. જે દરેક સમિતિઓમાં 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાણાકિય સમિતિમાં કોંગ્રેસના 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ વિધાનસભા સમિતિઓની ચૂંટણી નહીં થાય તેવા પણ સમાચારોએ હાલ વેગ પકડ્યો છે. તેમજ ત્રણેય પક્ષો વચ્ચે સમાધાન થતા સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. અંદાજ સમિતિમાં મનીષા વકીલને અધ્યક્ષ બનાવાયાં જયારે કોંગ્રેસના MLA તુષાર ચૌધરીને પણ સ્થાન અપાયું હતું. જાહેર સાહસોની સમિતિમાં ગણપત વસાવાને અધ્યક્ષ બનાવાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!