Friday, April 26, 2024
HomeGujaratમોરબી : મોઢાના કેન્સરની બીમારીથી કંટાળીને આધેડએ  ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબી : મોઢાના કેન્સરની બીમારીથી કંટાળીને આધેડએ  ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ પર કામધેનુ રીસોર્ટ પાછળ આવેલ બાલાજી હોમ્સ- ૩૦૨ માં રહેતા મનસુખભાઇ હંસરાજભાઇ રાણીપા પટેલ (ઉ.વ.૫૧) એ ગઈકાલે તા.૧૫ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ થયું હતુ. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનસુખભાઇ હંસરાજભાઇ રાણીપાએ મોઢાના કેન્સરની તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું હતું. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!