Friday, May 10, 2024
HomeGujaratમોરબી : પુર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શ્રધ્ધાંજલી પાઠવી

મોરબી : પુર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શ્રધ્ધાંજલી પાઠવી

મોરબીના રચનાત્મક કાર્યોના પ્રણેતા ગોકળભાઈ પરમારની વિદાયથી ખાલીપો સર્જાયો હોવાની લાગણી વ્યક્ત કરતાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- Advertisement -
- Advertisement -

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને જીવન પર્યંત ખાદી ગ્રામ ઉદ્યોગ અને રચનાત્મક પ્રવૃતિઓને વરેલા રહી નખશીખ ગાંધી મૂલ્યોના ઉપાસક રહેલા ગોકળભાઈ પરમારના જૈફ વયે નિધન અન્વયે સદ્ગતને અંજલિ આપતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે ગોકળભાઇ જેવા એક આદર્શ નેતૃત્વની ઉણપ મોરબીને ખૂબ સાલસે, તેમની રચનાત્મક પ્રવૃતિઓ તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગ દ્વારા અનેક લોકોને રોજગારી આપતા રહેવાની તેમની પ્રવૃતિમાં તેમના જવાથી ઉણપ આવશે. જિદગી પર્યંત સાદગી અને પ્રમાણિક્તાથી તેમણે જાહેર જીવન નિષ્કલંક રહીને શોભાવ્યું હતું. શિક્ષણ અને ખાદી પ્રવૃતિ એ એમનો જીવન મંત્ર રહ્યો હતો. આવા ગોકળભાઇના દિવ્ય આત્માને કોટિ કોટિ વંદન કરી તેમના પરિવાર પરત્વે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દિલાસો પાઠવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!