Saturday, May 4, 2024
HomeGujaratમોરબીમાં લીલાપર રોડ ઉપર થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: ભાભીને પામવા પિતરાઈ...

મોરબીમાં લીલાપર રોડ ઉપર થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: ભાભીને પામવા પિતરાઈ ભાઈએ યુવાનની હત્યા કર્યા નું ખુલ્યું

મોરબીના લીલાપર રોડ પર ગઈ કાલે મોડી રાત્રે એક યુવાનની છરીના ઘા ઝીંકી કરાયેલી હત્યા પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતકની પત્ની સાથેના આડા સબંધમાં અડચણરૂપ બનતા યુવાનનું તેના જ પિતરાઈ ભાઈએ કાસળ કાઢી નાંખયાનું ખુલ્યું છે. પોલીસે આરોપી પિતરાઈ ભાઈને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રાત્રીના આશરે બાર વાગ્યા ની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર ઉ.વ.૨૫ વાળાને તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર રહે.મકરાણી વાસ રોહિલા પીરની દરગાહ પાસે મોરબી વાળાએ અચાનક જ આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ઇમરાન શાહમદારને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ રક્ત વહી જવાના કારણે સિવિલ હોસ્પિટલ તંત્ર રાજકોટ રીફર કરવાની તૈયારી કરી રહ્યું હતું એ સમય દરમ્યાન જ ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો આ ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડીવીઝન, એલસીબી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી બીજી બાજુ મૃતક યુવાનનું પીએમ સહિતની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી હતી.

આ બનાવ બાબતે ડીવાયએસપી રાધિકા ભારાઇ એ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આ બનાવ નો પોલીસે ગણતરીની કલાકો માં ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો છે. જેમાં મૃતકની પત્નીને પામવા પિતરાઈ ભાઈ એ જ યુવાનની હત્યા કર્યાની કબુલાત આપી હતી. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!