Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વસહાય જૂથોની બહેનો સાથે કરશે સંવાદ

મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વસહાય જૂથોની બહેનો સાથે કરશે સંવાદ

મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં સ્વસહાય જૂથોની બહેનો ભાગ લઇ કાર્યક્રમમાં સહભાગી બનશે

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે તા. ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાકે સ્વસહાય જુથો(SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાશે. મોરબી જિલ્લાના સખીમંડળની તમામ બહેનો આ કાર્યક્રમ દૂરદર્શન ચેનલ પર નિહાળી શકાશે. જ્યાં દેશની મહિલાઓ યુવાનો સાથે ખભેખભા મેળવીને કામ કરી રહી છે તથા અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈને આત્મનિર્ભરતા તરફ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે ત્યારે દેશના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર પ્રધાનમંત્રી સખીમંડળની મહિલાઓને સુચારૂ માર્ગદર્શન પૂરુ પાડશે.

જે અન્વયે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાકે સ્વસહાય જુથો (SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ સખીમંડળની બહેનોને દૂરદર્શન ચેનલ ઉપર આ કાર્યક્રમ નિહાળવા વિનંતી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!